ગુજરાત રાજ્યમાં 90 હજાર કરોડનાં રોકાણથી 65 હજારથી વધુ યુવાઓને રોજગાર મળશે.

    ‘આત્મનિર્ભર ગુજરાત’થી ‘આત્મનિર્ભર ભારત’ બનાવવા માટે ગુજરાતે કમર કસી છે. રાજ્યના વિકાસથી દેશના વિકાસમાં સહભાગી બનવાના મંત્ર સાથે રાજ્યમાં વિકાસની નવી કેડી કંડારવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યે વાઇબ્રન્ટ શ્રૃંખલાથી રાજ્યમાં રોકાણની નવી કેડી કંડારી છે. હવે તેનાથી આગળ વધીને વાઇબ્રન્ટ સિવાયના સમયગાળામાં પણ મોટા પ્રમાણમાં રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કરીને દેશ અને વિદેશની કંપનીઓ ગુજરાતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપિત કરવા ઉત્સાહિત છે. આ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

ગુજરાત રાજ્યમાં 90 હજાર કરોડનાં રોકાણથી 65 હજારથી વધુ યુવાઓને રોજગાર મળશે.
ગુજરાત રાજ્યમાં 90 હજાર કરોડનાં રોકાણથી 65 હજારથી વધુ યુવાઓને રોજગાર મળશે.

    ‘આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત’ના નિર્માણની આ નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે ઑક્ટોબર-ર૦રરમાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.


    આ યોજના અન્વયે રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે એમ.ઓ.યુ. કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે.

    આ યોજના અન્વયે છ તબક્કાઓમાં કુલ પ૯ જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ ૯૦,૬૬૫ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે. આ ઉદ્યોગો શરૂ થવાથી ૬૫,૪૩૧ જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. જે ક્ત્ષે રોમાં અત્યાર સુધીમાં MoU થયા છે તેમાં કેમિકલ ક્ત્ષે ૪૦ હ રે જાર, એન્જિનિયરીંગ ક્ત્ષે રે ૬ હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

    આ બહુવિધ એમ.ઓ.યુ. અન્વયે લિથિયમ-આયન બેટરી મટિરિયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમિડિયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, API, ક્રાફ્ટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટ્સ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે.

    આ ઉદ્યોગો પોતાના ઉત્પાદન એકમો દ્વારા વર્ષ- ર૦રપ સુધીમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરશે.

    ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કિમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ એમ.ઓ.યુ. કરેલા છે.

"આત્મા નિર્ભર ભારત" વિશે આટલું જાણો!

    "આત્મા નિર્ભર ભારત" એ હિન્દી વાક્ય છે જેનો અંગ્રેજીમાં અનુવાદ "આત્મનિર્ભર ભારત" થાય છે. તે ભારત સરકાર દ્વારા મે 2020 માં શરૂ કરવામાં આવેલી એક નીતિ પહેલ છે, જેનો ઉદ્દેશ્ય અર્થતંત્ર, સંરક્ષણ, ટેકનોલોજી અને આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે.
આત્મા નિર્ભર ભારત
aatmanirbhar bharat


    આત્મા નિર્ભર ભારત પહેલ સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ભારતીય ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો છે.

    આ પહેલમાં આર્થિક સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) માટે સમર્થન સહિત અનેક ઘટકો છે. સરકારે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવું અને વ્યવસાયોના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા સહિત સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ અને પગલાંની પણ જાહેરાત કરી છે.

    આત્મ નિર્ભર ભારત પહેલને ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ બનાવવા અને અન્ય દેશો પર તેની નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવે છે.

FAQ (વારંવાર પુછાતા પ્રશ્નો)

Que.-આત્મા નિર્ભર ભારત શું છે?
Ans.-
આત્મનિર્ભર ભારત એ ભારત સરકાર દ્વારા મે 2020 માં શરૂ કરાયેલ એક નીતિ પહેલ છે, જેનો હેતુ અર્થતંત્ર, સંરક્ષણ, ટેકનોલોજી અને આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે.

Que.-આત્મા નિર્ભર ભારતના ઉદ્દેશ્યો શું છે?
Ans.-
પહેલ સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ભારતીય ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો છે. 

Que.-આત્મનિર્ભર ભારત હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે કયા પગલાં લીધાં છે? 
Ans.- સરકારે સ્થાનિક ઉત્પાદન માટે પ્રોત્સાહનો આપવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવું અને વ્યવસાયોના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા સહિત સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ અને પગલાં જાહેર કર્યા છે.

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.